સિદ્ધાન્ત રહસ્યમ્ – ષોડશ ગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ સિદ્ધાન્ત રહસ્યમ્ ગ્રંથ.

સિદ્ધાન્ત રહસ્યમ્ ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :  

વીં. સં. ૧૫૪૯ માં જ્યારે શ્રી ભગવદ આજ્ઞા થી જીવો ના ઉદ્ધાર હેતુ શ્રી મહાપ્રભુજી ભારત પરિક્રમા કરવા પધાર્યા ત્યારે આપશ્રી ઠકરાની ઘાટ પર ચિંતામગ્ન થઈ વિરાજમાન હતા, કે આ કલિયુગ ના જીવો દોષો થી ભરેલા છે અને પ્રભુ તો કોમળ છે કેવી રીતે આ જીવો નો ઉદ્ધાર કરવો.

ત્યારે સાક્ષાત પ્રભુ શ્રી ગોકુળચંદ્રમાજી સ્વરૂપે પ્રકટ થયા અને આજ્ઞા કરી “હે વલ્લભ આપ જીવો ને બ્રમ્હસંબંધ ની દીક્ષા આપી ને શરણ માં લ્યો. એક વાર બ્રમ્હસંબંધ થશે પછી કદાચિત આપ જીવ ને છોડી શકો પણ હું ક્યારેય એનો હાથ નહીં છોડું.” અને પ્રભુ અંતર ધ્યાન થઇ ગયા.

ત્યારે શ્રી મહાપ્રભુજી ની થોડે જ દૂર શ્રી દામોદરદાસ હરસાનીજી જાગતા સૂતેલા હતા. એમને શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ વચ્ચે નો અલૌકિક સંવાદ સાંભળ્યો હતો. ત્યારે શ્રી મહાપ્રભુજી એ દમલાજી ને જગાડ્યા અને પૂછ્યું “દમલા, કછુ સુનીઓ…?” ત્યારે દમલાજી કહે છે “સુનીઓ તો સહી પર સમજ્યો નહીં”.

ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને શ્રી યમુનાજી માં સ્નાન કરી આવવા ની આજ્ઞા કરી. તદ પશ્ચાત શ્રી મહાપ્રભુજી એ આપના સેવ્ય શ્રી મુકુંદ્રાયજી સન્મુખ સર્વ પ્રથમ વાર શ્રી દમલાજી ને બ્રમ્હ સંબંધ ની દીક્ષા આપી. શ્રી દમલાજી સર્વ પ્રથમ વૈષ્ણવ બન્યા.

ત્યારે શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિમાર્ગનું રહસ્ય , પ્રભુ ની વાણી નું રહસ્ય, પુષ્ટિમાર્ગ ના સિદ્ધાંતો નું રહસ્ય…….“શ્રી સિધ્ધાંત રહસ્ય” ગ્રંથ ની રચના કરી ને દમલાજી ને સમજાવ્યું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે જે સાક્ષાત પ્રભુ એ જે આજ્ઞા કરી છે એ અક્ષરસહ(અક્ષરે -અક્ષર) હું આ ગ્રંથ માં લખું છું.

જેમાં આપશ્રી સમજાવે છે કે બ્રમ્હસંબંધ લીધા પછી જીવ ના બધાજ દોષો નું નિવારણ થઇ જાય છે અને પ્રભુ ના શ્રી ચરણો માં જવા લાયક બને છે.

સિદ્ધાન્ત રહસ્યમ્

શ્રાવણસ્યામલે પક્ષે, એકાદશ્યાં મહાનિશિ |
સાક્ષાદ્ ભગવતા પ્રોક્તં, તદક્ષરશ ઉચ્યતે ॥૧॥
બ્રહ્મસંબંધ કરણાત્, સર્વેષાં દેહજીવયોઃ |
સર્વ દોષનિવૃત્તિહિૅ, દોષાઃ પંચવિદ્યાઃ સ્મૃતાઃ. ॥૨॥
સહજા દેશકાલોત્થા, લોકવેદનિરૂપિતાઃ |
સંયોગજાઃ સ્પર્શજાશ્વ, ન મન્તવ્યાઃ કથંચન ||૩||
અન્યથા સર્વ દોષાણાં, ન નિવૃત્તિઃ કથંચન |
અસમર્પિત વસ્તુનાં, તસ્માદ્ વર્જનમાચરેત્ ॥૪॥
નિવેદિભિઃ સમપ્યૈૅવ , સર્વ કુર્યાદિતિ સ્થિતિઃ |
ન મતં દેવ દેવસ્ય, સામિભુક્ત સમર્પણમ્ ||૫||
તસ્માદાદૌ સર્વકાર્યે, સર્વવસ્તુસમર્પણમ્ |
દત્તાપહારવચનં, તથા ચ સકલં હરે: ||૬||
ન ગ્રાહ્યમિતિ વાકયં હિ, ભિન્નમાર્ગ પરંમતમ્ |
સેવકાનાં યથા લોકે, વ્યવહારઃ પ્રસિધ્ધતિ ||૭||
તથા કાર્યસમપ્યૈૅવ, સર્વેષાં બ્રહ્મતા તતઃ |
ગંગાત્વં સર્વદોષાણાં, ગુણદોષાદિવર્ણના ||૮||
ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત્ – તદ્વદત્રાપિ ચૈવહિ ||૮, ૧/૨ ||
|| ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વિરચિતં સિદ્ધાન્ત રહસ્ય સંપૂર્ણમ્ ||

Like 5