શ્રી સર્વોત્તમ સ્તોત્રમ્
પ્રાકૃતઘર્મા નાશ્રય મપ્રાકૃતનિખિલધર્મ રૂપમિતિ ।
નિગમપ્રતિપાધં યત્ – તચ્છદ્વં સાકૃતિ સ્તૌમિ ||૧||
કલિકાલતમશ્છન્ન – દષ્ટિ ત્વાદ્વિ દુષામપિ |
સંપ્રત્યવિષયસ્તસ્ય, માહાત્મ્યં સમભૂદ્ભુવિ. ||૨||
દયયા નિજ માહાત્મ્યં, કરિષ્યન પ્રકટં હરિ: |
વાણ્યા યદા તદા સ્વાસ્યં, પ્રાદુર્ભૂતં ચકાર હિ ||૩||
તદુક્તમપિ દુર્બોધં, સુબોધં સ્યાધ્યથા તથા. |
તન્નામાષ્ટો તરશતં, પ્રવક્ષ્યામ્યખિલાધહ્ય્ત ||૪||
ઋષિરગ્નિકુમારસ્તુ, નામ્નાં છંદો જગત્સૅૉ |
શ્રી કૃષ્ણાસ્યં દેવતા ચ, બીજં કારુણિક: પ્રભુ: ||પ||
વિનિયોગોભક્તિયોગ: – પ્રતિબંધ વિનાશને |
કૃષ્ણાઘરામૃતાસ્વાદ – સિદ્વિરત્ર ન સંશયઃ ||૬||
આનંદ: પરમાનંદ:, શ્રીકૃષ્ણાસ્યં કૃપાનિધિ: |
દૈવોઘ્ધાર પ્રયત્નાત્મા, સ્મૃતિમાત્રાતિૅૅનાશનઃ. II૭||
શ્રીભાગવત ગૂઢાર્થ – પ્રકાશનપરાયણ: |
સાકાર બ્રહ્મવાદૈક – સ્થાપકો વેદપારગઃ ||૮||
માયાવાદનિરાકતૉ, સર્વવાદિનિરાસકૃત |
ભક્તિમાગાર્માબ્જમાર્તણ્ડ:, સ્ત્રીશુદાઘુદ્ધતિક્ષમઃ II૯||
અંગીકૃત્યૈવ ગોપીશ-વલ્લભીકૃતમાનવઃ|
અંગીકૃતૌ સમયૉદો, મહાકારુણિકો વિભુઃ. ||૧૦||
અદેયદાનદક્ષશ્ચ, મહોદારચરિત્રવાન |
પ્રાકૃતાનુકૃતિવ્યાજ – મોહિતાસુર માનુષ: ||૧૧||
વૈશ્ર્વાનરોવલ્લભાખ્ય:, સદ્રુપોહિતકૃત્સતામ |
જનશિક્ષાકૃતે કૃષ્ણ – ભક્તિકન્નિખિલેષ્ટદઃ ||૧૨||
સર્વલક્ષણસંપન્ન:, શ્રીકૃષ્ણજ્ઞાનદોગુરુ: |
સ્વાનંદતૂંદિલઃ પદ્મ – દલાયતવિલોચનઃ ||૧૩||
કૃપાદૃગ્વૃષ્ટિસંહૃષ્ટ – દાસદાસીપ્રિય:પતિ:|
રોષદક્પાતસંપ્લુષ્ટ. – ભક્તદ્વિટ ભક્તસેવિતઃ ।।૧૪||
સુખસેવ્યોદુરારાધ્યો, દુર્લભાંધ્રિસરોરુહઃ |
ઉંગ્રપ્રતાપો વાક્સીધુ – પૂરિતાશેષસેવકઃ. ॥૧૫।।
શ્રીભાગવતપીયૂષ – સમુદ્રમથનક્ષમઃ|
તત્સારભૂતરાસસ્ત્રી – ભાવપૂરિતવિગ્રહઃ ||૧૬||
સાન્નિધ્યમાત્રદત્ત શ્રી-કૃષ્ણપ્રેમા વિમુક્તિદઃ |
રાસલીલૈકતાત્પર્ય:, કૃપયૈતત્કથાપ્રદ: ||૧૭||
વિરહાનુભવૈકાર્થ – સર્વત્યાગોપદેશકઃ|
ભકત્યાચારોપદેષ્ટાચ, કર્મમાર્ગપ્રવર્તકઃ. ॥૧૮||
યાગાદૌ ભક્તિમાર્ગેક – સાધનત્વોપદેશકઃ|
પૂર્ણાનંદઃ પૂર્ણકામો, વાક્પતિર્વિબુધેશ્વરઃ II૧૯||
કૃષ્ણનામસહત્રસ્ય, વકતા ભકતપરાયણ:|
ભકત્યાચારોપદેશાર્થ, નાનાવાક્યનિરૂપકઃ ॥૨૦||
સ્વાર્થોજિઝતાખિલપ્રાણ – પ્રિયસ્તાદૃશવેષ્ટિતઃ ।
સ્વ-દાસાર્થકૃતાશેષ – સાધનઃ સવૅૅ શક્તિ ધૃક ॥૨૧||
ભુવિભક્તિપ્રચારેક – કૃતે સ્વાન્વયકૃત પિતા|
સ્વવંશેસ્થાપિતાશેષ – સ્વમાહાત્મ્યઃ સ્મયાપહઃ ॥૨૨॥
પતિવ્રતાપતિઃ પાર – લૌકિકેહિકદાનકૃત્.|
નિગૂઢહૃદયોનન્ય – ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. ||૨૩||
ઉપાસનાદિમાગાઁતિ – મુગ્ધ મોહનિવારક:|
ભક્તિમાર્ગે સવૅમાગૅ. – વૈલક્ષણ્યાનુભૂતિકૃત્ ॥૨૪||
પૃથક્શરણમાર્ગોપ – દેષ્ટા શ્રીકૃષ્ણ હાદૅવિત |
પ્રતિક્ષણનિકુંજસ્થ – લીલારસુપૂરિતઃ ||૨૫||
તત્કથાક્ષિપ્તચિત્તસ્તદ્ – વિસ્મૃતાન્યો વ્રજપ્રિયઃ|
પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ – લીલા કર્તા રહઃપ્રિયઃ ||૨૬||
ભક્તેચ્છા પૂરકઃસર્વા – જ્ઞાત લીલોતિમોહનઃ|
સર્વસક્તો ભક્તમાત્રા – સક્તઃ પતિતપાવનઃ ||૨૭||
સ્વયશોગાનસંહૃષ્ટ – હૃદયાંભોજ-વિષ્ટર: |
યશઃ પિયૂષલહરી – પ્લાવિતાન્ય રસઃ પરઃ. ||૨૮||
લીલામૃતરસાદ્રાદ્રી – કૃતાખિલ. – શરીરભૃત્ |
ગોવર્ધનસ્થિત્યુત્સાહઃ, તલ્લીલા પ્રેમપૂરિતઃ ||૨૯||
યજ્ઞભોક્તા યજ્ઞકર્તા, ચતુર્વર્ગ વિશારદઃ|
સત્ય પ્રતિજ્ઞ સ્ત્રિગુણા. – તીતો નય વિશારદઃ ||૩૦||
સ્વકીર્તિવર્ધન સ્તત્ત્વ – સૂત્ર ભાષ્ય પ્રદર્શક:|
માયા વાદાખ્ય તૂલાગ્નિ. – બ્રર્હ્મવાદ નિરૂપકઃ. ||૩૧||
અપ્રાકૃતાખિલાકલ્પ. – ભૂષિતઃ સહજસ્મિતઃ।
ત્રિલોકીભૂષણં ભૂમિ-ભાગ્યં સહજ સુંદરઃ ||૩૨||
અશેષ ભક્ત સંપ્રાર્થ્ય – ચરણાબ્ઝરજોધનઃ |
ઈત્યાનંદ નિધેઃપ્રોક્તં, નામ્નામષ્ટોત્તરંશતમ્. || ૩૩||
શ્રદ્ધાવિશુદ્ધબુદ્ધિર્ય:, પઠત્યનુદિનં જનઃ |
સતદેકમનાઃ સિદ્ધિ-મુક્તાં પ્રાપ્નોત્યસંશયઃ II૩૪॥
તદપ્રાપ્તૌ વૃથા મોક્ષ-સ્તદાપ્તૌ તદ્ ગતાર્થતા |
અતઃ સર્વોત્તમ સ્તોત્રં, જપ્યં કૃષ્ણ રસાર્થિભિઃ ||૩૫||
ઈતિ શ્રીમદગ્નિકુમાર પ્રોક્તં શ્રી સર્વોત્તમ સ્તોત્રં સંપૂર્ણમ્
રચના :
આ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી નું નામાત્મક સ્વરૂપ છે; કારણકે શ્રી ગૂસાઈજી એ મહાપ્રભુજી વિવિધ ચરિત્રો નું વર્ણન કરતાં ૧૦૮ નામ નું આલેખન કર્યું છે.
માહાત્મ્ય :
આ સ્તોત્ર નું વૈષ્ણવોએ નિત્ય પઠન કરવું જોઈએ. નિત્ય પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજી ના ગ્રંથો સહેલાઈથી સમજી શકાય છે. આ સ્તોત્ર વૈષ્ણવો માટે ગાયત્રી તુલ્ય છે. માહાત્મ્ય નો એક સુંદર પ્રસંગ પણ છે ..
પ્રસંગ :
શ્રી ગૂસાઈજી ના દ્વિતીય લાલન શ્રી ગોવિંદરાયજી ના લાલન શ્રી કલ્યાણરાયજી ના લાલન
શ્રી હરિરાય મહાપ્રભુજી ને નાનપણ થી જ સત્સંગ માં અદભૂત રુચિ.. ગુરુ અને વૈષ્ણવ ના અંતર’ નું ધ્યાન ધર્યા વગર વૈષ્ણવો ની મંડળી માં એમની સાથે બિરાજી સત્સંગ કરતાં.
વડીલો એ સમજાવ્યા કે ગુરુ અને શિષ્ય ની મર્યાદા નું ધ્યાન રાખી ગુરુ સ્થાન પર બિરાજો પણ બાલ સ્વરૂપ હોવાથી સમજ્યા નહીં અને ક્રમ ચાલુ રહેવાથી વડીલોએ ખંડ માં બંધ કર્યા ત્યારે આપને સત્સંગ નો વિરહ સહન થયો નહીં તેથી ત્રણ દીવસ સુધી નિરંતર “શ્રી સર્વોત્તમ સ્તોત્ર” નું પઠન કર્યું અને ફળ સ્વરૂપ સાક્ષાત “શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથજી સાથે દર્શન આપ્યા” આવું અદભૂત માહાત્મ્ય છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર નું..
જોકે શ્રી હરિરાયજી વલ્લભકુલ છે એટલે આપનુ સામર્થ્ય અલૌકિક છે, પણ શ્રી સર્વોત્તમ સ્તોત્ર નો નિત્ય સપૂર્ણ દૃઢ ભાવ થી જો પાઠ કરવામાં આવે તો કૃપા ની અધિકારિતા જાણી ને શ્રી મહાપ્રભુજી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અવશ્ય દર્શન આપે છે.