પ્રાતઃ સ્મરણ

શ્રીગોવર્ધનનાથપાદયુગલં, હૈયંગવીનપ્રિયમ્
નિત્યં શ્રીમથુરાધિપં સુખકરં, શ્રીવિઠ્ઠલેશં મુદા ।
શ્રીમદ્ દ્વારવતીશગોકુલપતિ, શ્રીગોકુલેન્દું વિભૂમ્
શ્રીમન્મન્મથમોહનં નટવરં, શ્રીબાલકૃષ્ણં ભજેત્ ॥૧॥

અર્થ: શ્રી ગોવર્ધનનાથજી ના યુગલ ચરણકમળ , માખણ અતિ પ્રિય છે એવા શ્રી નવનીતપ્રિયાજીને સાથે સાથે શ્રી મથુરાધીશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુળચંદ્રમાજી, શ્રી મદનમોહનજી, શ્રી નટવરલાલજી, શ્રી બાલકૃષ્ણજી ને આનંદ થી ભજું છું

શ્રીમદ્ વલ્લભવિઠ્ઠલૌ ગિરિધરં, ગોવિંદરાયાભિધમ્,
શ્રીમદ્ બાલકૃષ્ણ ગોકુલપતિ, નાથં રઘુણાં તથા ।
એવં શ્રીયદુનાયકં કિલ ઘન-શ્યામં ચ તદ્ વંશજાન્
કાલિન્દીં સ્વગુરું ગિરિં ગુરુવિભૂન -સ્વીયપ્રભૂંશ્ચ સ્મરેત્ ॥૨॥

અર્થ: શ્રી વલ્લભ , શ્રી વિઠ્ઠલ અને આપશ્રી ના સાત લાલન શ્રી ગિરિધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રીબાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામલાલજી, અને આપના વંશજ(શ્રી વલ્લભકુલ), શ્રી યમુનાજી, પોતાના શ્રી ગુરુ, શ્રી ગિરિરાજજી, શ્રીગુરુ ના સેવ્ય સ્વરૂપ, અને પોતાના સેવ્ય સ્વરૂપ નું વૈષ્ણવો એ સ્મરણ અવશ્ય કરવું જોઈએ.

 

 

 

Like 10