ગોપષ્ટમી

પુષ્ટિમાર્ગ ગોપષ્ટમી મહત્વ-ભાવ, પુષ્ટિમાર્ગ ગોપષ્ટમી કથા શ્રીનાથજી દર્શન , ગોપષ્ટમી ઇતિહાસ, શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા, શ્રીનાથજી સેવા ક્રમ, ગોપષ્ટમી પુષ્ટિમાર્ગ કીર્તન, કુંડવારા મનોરથ ભાવ.

ગોપષ્ટમી  તિથી  : કારતક સુદ આઠમ

” नंदके लाल चले गौचारन शोभा कहत न आवे ॥ “

cow
krishna standing dan lila
cow

“आगे गाय पाछे गाय , इत गाय उत गाय 

गोविंद को गायन मे बसवो ही भावे “

શ્રી ક્રુષ્ણ લીલા કથા  

આ ઉત્સવ સપૂર્ણ રીત થી પ્રભુ ની વ્રજ ની લીલા નો ઉત્સવ છે.

જ્યારે આપણાં  કન્હૈયા 5 વર્ષના  થયા  ત્યારે આપ  ગાયો ચરાવવાનો આગ્રહ કર્યો. પરંતુ આપની  માતાએ ના પાડી છતાં માન્યા નહીં. એમની હઠ થી પ્રભુ નું મુંડન સંસ્કાર અક્ષય તૃતીયા પર થયું. (આ પ્રસંગ અમારા ઉત્સવ શેકશન માં અક્ષય તૃતીયા ઉત્સવ માં વિસ્તાર માં જોઈ શકાશે).

પ્રભુ ની હઠ ના કારણે માતા થાકી ગઈ.  અને  ગાયોના ગોચરણના સુકન અન્નકૂટ ના દિવસે કર્યા. આમ છતાં કન્હૈયા રાજી ન થયા. ગોપગણ અષ્ટાંગ યોગ થી ગાયો ની સેવા કરે છે. આ કારણ થી કારતક સુદ આઠમ ના દિવસે ગાય ચરાવા જવાની પ્રભુ એ જીદ કરી. જેથી “ગોપષ્ટમી” ઉત્સવ કહેવાય છે.

આપ માતાને કહો  છો  કે “મા, હું હવે મોટો થઈ ગયો છું, હું ડરતો નથી અને મારા બધા મિત્રો અને બલદાઉ  પણ મારી સાથે છે, તેથી ચિંતા કરશો નહીં.” પછી માતા રાજી થઈ.  અને શ્રી કૃષ્ણ ના મુકુટ કાછની ના શૃંગાર કર્યા. નજર ના લાગે એના માટે કાળો ટીકો કર્યો. પછી આરતી લઈ આવી. કન્હૈયાની પ્રથમ ગોચારણ માટેની  આરતી કરી.

गोपाष्टमी - प्रथम गौचारण को दिन आज ગોપષ્ટમી

અને શીખ આપે છે. જંગલ કે જળાશયમાં ન જાશો, મિત્રો સાથે ઝઘડો ન કરશો, સમયસર ભોજન કરી લેજો.પછી માતા બલદાઉ અને શ્રીદામાને પણ કન્હૈયાનું ધ્યાન રાખવાનું કહે છે. તેને એકલો ન છોડો, નહીં તો તે પોતાનો રસ્તો ગુમાવી જંગલમાં ખોવાય જશે. સમયાંતરે તેને ભોજન કરાવજો.

प्रथम गोचारण चले गोपाल 

શ્રીનાથજી  ગાયો ચરાવવા માટે વેણુ વગાડતા ગોવાળ જૂથ સાથે પધારી  રહ્યા છે. સમગ્ર  ચરાચર  શ્રી કૃષ્ણના વેણુના વગાડવાથી મંત્રમુગ્ધ થઈ જાય છે, ગોવાળ મંડળી  પવિત્ર લીલા જેવી કે નૃત્ય, ગીતો વગેરેમાં મગ્ન છે. ગોપાલ ના  સુશોભિત શૃંગાર રસ સ્વરૂપના દર્શન કરીને  તમામ ગોપીઓ મન હારી ગઈ છે.

પ્રકૃતિ માં અલગ જ સૌંદર્ય નો નિખાર આવ્યો છે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. નંદલાલ આપની લીલા માં મગન લટકતી ચાલે ચાલી રહ્યા છે.

गोपाष्टमी पूजा , कृष्ण लीला प्रथम गोचारण ગોપષ્ટમી

Gopashtami | Pratham Gocharan | Shri Krishna Leela story | Shrinathji | Gau Charan leela Darshan

પુષ્ટિમાર્ગ માં ગોપષ્ટમી

આજે શ્રી કૃષ્ણને ‘ગોપ’નો દરજ્જો મળ્યો હતો, એટલે આપણે આ દિવસને ગોપાષ્ટમી તરીકે ઉજવીએ છીએ. વ્રજમાં પ્રભુ શ્રીકૃષ્ણની બધી જ જીવન ક્રિયાઓ ગૌ-ચારણમાં જ થઈ હતી, એટલે આપને   ‘ગોપાલ’ કૃષ્ણ પણ કહેવાય છે.

શ્રી મહાપ્રભુજી પણ ગૌ-સેવા પ્રત્યે પૂર્ણ સમર્પિત હતા. તેમના બાળપણમાં એક પ્રિય ગાય હતી. જ્યારે તેઓ બહાર હતા, ત્યારે ગાયે દેહ ત્યાગ કર્યો હતો.  પરંતુ મહાપ્રભુજીએ આવીને મધુર સ્વરે પુકાર્યા ત્યારે ગાયમાં પ્રાણ આવી ગયા. શ્રીનાથજીએ જ્યારે મહાપ્રભુજી પાસેથી ગાય માંગી હતી, ત્યારે મહાપ્રભુજીએ તેમની અંગૂઠી વેચીને પ્રભુ માટે ગાય પધરાવી હતી.

પ્રભુ ગાય વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. એટલે જ વ્રજમાં જ્યારે મહાપ્રભુજીએ શ્રીજીને મંદિરમાં પાટ પધરાવ્યા, ત્યારે મહાપ્રભુજી પાસેથી ગાય માંગી. મહાપ્રભુજી અને વ્રજવાસીઓએ ગાય પધરાવી અને જોતા જોતા વિશાળ સંખ્યામાં ગાયો આવી ગઈ. ગૌશાળા બની અને ગામનું નામ ગોપાલપુરા (હાલનું જતીપુરા) પડ્યું.

નાથદ્વારામાં પણ પ્રભુની મોટી ગૌશાળા છે. આજના દિવસે ઉત્થાપન પછી ગૌશાળામાં પાડો (ભૈંસો)ની ભિડંત કરાવાય છે, જેમાં હજારો નગરવાસીઓ ગૌશાળામાં એકત્ર થઈને પાડોની ભિડંતનો આનંદ લે છે. આજની ભિડંત માટે ગ્વાલબાળો ઘણા મહિનાઓથી પાડોને સારો  ખુરાક આપીને તૈયાર કરે છે.

આજે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો વિશેષ રૂપે ગૌશાળા જાય છે, ગાયોને ચારો, ઘાસ, લાડુ વગેરે ખવડાવે છે.

આજે શ્રીજીની સાથે બધા પુષ્ટિમાર્ગના મંદિરોમાં કુંડવરાનો મનોરથ થાય છે.

કુંડવારાનો મનોરથ છપ્પન ભોગના મનોરથ જેટલું જ મહત્વ ધરાવે છે. કુંડવારાનો ભાવ એ છે કે જ્યારે પ્રભુ શ્રીજી ગૌચારણ માટે પધારે છે, ત્યારે તેઓ ત્યાં તેમના ગ્વાલ બાળ સાથે ભોગ આરોગવાની ભાવના સાથે હોય છે.

વનમાં સોના અને ચાંદીના પાત્રો નથી હોતા. પ્રભુ તેમની ગ્વાલ મંડળી સાથે નંદાલયથી જ મટુકીમાં સામગ્રી લઈને પધારે છે, અથવા ગોપીઓ તેમને આ ભોગ પહોંચાડે છે. વનમાં સોનાના પાત્રમાં ન આરોગીને પ્રભુ માટીના પાત્રમાં જ ભોગ આરોગવાની ભાવના સાથે આ મનોરથ મનાવાય છે.

મંદિરોમાં આ જ ભાવના સાથે સજાવટ કરવામાં આવે છે. પ્રભુને આનંદ આવે અને વૈષ્ણવોને પણ લીલાની અનુભૂતિ થાય. સામગ્રી 4ના ગુણાંકમાં કતારમાં મૂકવામાં આવે છે. મનોરથમાં સામગ્રીમાં:

  • પાટીયા (ઘઉંના લાડુ)
  • ખીર
  • મઠ્ઠડી
  • ઘઉંના લોટનો શીરો
  • દહીં ભાત
  • ગોરસ

જેવી સામગ્રી ભોગમાં ધરવામાં આવે છે.

गोपाष्टमी पूजा , कृष्ण लीला प्रथम गोचारण , कुंडवारा मनोरथ पुष्टिमार्ग श्रीनाथजी ગોપષ્ટમી
Kundwara Manorath Krishna Lila Darshan

..

શ્રીનાથજી દર્શન – ગોપષ્ટમી 

गोपाष्टमी पूजा , कृष्ण लीला प्रथम गोचारण , श्रीनाथजी दर्शन ગોપષ્ટમી

प्रभु को मुख्य रूप से तीन मुख्य लीला (शरद रास, गौ चरण , दान ) मे मुकुट का शृंगार धराया जाता है | आज अंतिम बार मुकुट काछनी का शृंगार धराया जाता है | अब से शीतकाल मे प्रभु को मुकुट काछनी का शृंगार नहीं धराया जाएगा |

सभी द्वार में डेली मढ़े,बंदरवाल बंधे।जमनाजल की झारी जी भरावे।राजभोग व आरती में थाली की आरती होवे।

साज :– आज श्रीजी में श्याम आधारवस्त्र पर खण्डों में गायों के कशीदा वाली पिछवाई धरायी जाती है | गादी, तकिया के ऊपर लाल एवं चरणचौकी के ऊपर हरी बिछावट की जाती है |

वस्त्र:- चोली – मेघस्याम दरियाई की।पीताम्बर -लाल दरियाई को। बड़ी काछनी हरी छापा की।छोटी काछनी लाल छापा की।ठाड़े वस्त्र स्वेत लट्ठा के।पिछवाई स्याम धरती पे स्वेत गाय की।

आभरण:- मुकूट टोपी हीरा के।आभरण सब उत्सव के।हीरा की प्रधानता।कली कस्तूरी आदी सब धरावे।वेणु जी,दोनों वेत्र हीरा के।सोना की कूदती भई बाघ बकरी की।आज चोटीजी नहीं आवे।आरसी चार झाड़ की।

आज संध्या आरती में छोटो वेत्र श्रीहस्त में धरावे।आरती पीछे सन्मुख की गाये विदा होवे।दोनों काछनी बड़ी करके मेघस्याम चागदार बागा धरावे।छेड़ान के श्रृंगार होवे।श्रीमस्तक पे लाल कूल्हे व तनी धरावे।

दूध घर की हाडी,केसर युक्त पेठा,मीठी सेव,दही भात आदी सामग्री अरोगे।गोपिवल्लभ मे मनोहर के बड़े नग अरोगे।तले हुए सूखे मेवे अरोगे।आज से गन्ना को रस नित्य में अरोगे।

मंगला – प्रथम गौचारण को दिन आज 

राजभोग – नीके नीके री गुपाल माई चलत 

आरती – लटकत चलत जुवती सुखदानी 

शयन – घेनन को ध्यान निस दिन 

मान – बोलत काहे नागर बेना 

पोढवे – पोढ रहो घनश्याम बलैया ले हो

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | shrinathji nitya darshan Facebook page 

ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી  સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

धन त्रयोदशी से देव प्रबोधिनी एकादशी के पद

આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.