દાણ એકાદશી

દાણ એકાદશી પુષ્ટિમાર્ગ , દાણ ના દિવસો માં સેવા ક્રમ, શ્રીનાથજી દર્શન , ઉત્સવ ભાવ , દાણ લીલા ના પદ, શ્રી ક્રુષ્ણ દાણ લીલા દર્શન એનિમેશન, સર્વ  માહિતી.

તિથી  : ભાદરવા સુદ અગ્યારસ

દાણ એકાદશી , દાણ લીલા
દાણ એકાદશી , દાણ લીલા
દાણ લીલા દાણ એકાદશી
દાણ એકાદશી , દાણ લીલા

શ્રી ક્રુષ્ણ દાણ લીલા :

સૌથી પહેલા જાણવાની વાત છે, જે જાણવી જરૂરી છે, તે છે કે દાણ નો અર્થ દાન નથી; પરંતુ દાણ એટલે કર(ટેક્ષ). જ્યારે તમામ ગોપિઓ ઘરના દૂધ, દહી, માખણ, અન્ય સામગ્રી કર રૂપે રાજા કંસને આપવા જતી હતી.

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમને કહ્યું કે આ દૂધ, માખણ અને અન્ય સામગ્રી પર તમામ બાળકોનો હક છે, અને આ બધુ અમારી ગાયનું છે, તેથી તમારે અમને કર આપવો પડશે.

પ્રભુએ દાન લીલા વ્રજભૂમિમાં કઈક સ્થાનો પર કરવામાં આવી છે. જેમણે વ્રજવિતાનમાં, દાનઘાટી સાંકરી-ખોરમાં, ગહવર વનમાં, વૃંદાવનમાં, ગોવર્ધનના માર્ગ પર, કદમ્બખંડીમાં, પનઘટ ઉપર, યમુના ઘાટના પાસે અને અન્ય વિવિધ સ્થાનોમાં વ્રજભક્તોએ દાણ આપ્યુ છે. અને પ્રભુ એ તેમને પ્રેમરસનું દાન આપ્યુ છે.

દાણ લીલા દાણ એકાદશી

પ્રભુ આવતા વીસ દિવસ ગોપિઓ સાથે દાણ લીલા કરી છે.

નંદકુમાર પ્રભુએ  વ્રજની ગોપિઓથી આ વીસ દિવસ દાણ લીધું છે. પ્રભુએ ગોપિઓના ગુણોને ધ્યાનમાં રાખીને ત્રણ પ્રકારના દાણ લીધા છે. :

સાત્વિક દાન: દીનતાયુક્ત, સ્નેહપૂર્વક, અને વિનમ્રતાથી દાણ.
રાજસ દાન: વાદ-વિવાદ, શ્રીમંતતા થી દાણ.
તામસ દાન: હઠપૂર્વક, ઝગડાથી, અને જોર-જબરદસ્તીથી દાણ.

ભગવદીયોએ પ્રભુની આ ત્રણ પ્રકારની દાણ લીલાનું વર્ણન બહુ સુંદર રૂપે દાણ લીલાના પદોમાં કર્યો છે. શ્રી હરીરાઇજીની કૃત બડી દાન લીલા અમારા પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ છે. તમે “બડી દાન લીલા” હિન્દી ભાષા ના શેકશન માં સર્ચ કરી શકો છો. અને જેની લિંક આ પેજના અંતમાં દાણના પદોમાં આપેલી છે.

પ્રભુની મુખ્ય ચાર સ્વામીનિજીની ભાવનાથી દાણની સામગ્રી:

દૂધ : શ્રી સ્વામીનિજી શ્રી રાધારાણીજીના ભાવથી
દહી : શ્રી ચંદ્રાવલીજીના ભાવથી
માખણ : શ્રી અગ્નિકુમારિકાજીના ભાવથી
છાસ : શ્રી યમુનાજીના ભાવથી
આજથી આવતા વીસ દિવસની દાણ લીલા પાંચ-પાંચ દિવસ ચારેય યુથના અધિપતિ ના ભાવ થી છે.

દાણ લીલા એનિમેશન દર્શન 

Resources used in this Video :
Video: Krishna by @Biganimation
Kirtan Voice : H.D.H Param Pujya Shri Goswami

આપણા સેવ્ય સ્વરૂપ ઠાકુરજી આપણને પોતાના નિજ જન માનીને હકથી માગે છે. આપણે આપણા સેવ્ય સ્વરૂપને પ્રાર્થના પણ તેવી જ કરવી જોઈએ કે અમારી ઉપર એવી કૃપા કરોકે, આપ અમારી પાસે પણ જબરદસ્તી થી માંગો. હઠ થી માંગો, અને જે માંગો તે અમે આપી શકીએ.

આ દાણના દિવસોમાં પ્રભુ આપણી પાસે પ્રેમથી માંગે છે. આ દિવસોમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ કે ગમે તેટલું કષ્ટ કેમ ન હોય, દુઃખ હોય, દર્દ હોય, છતાં પ્રભુ પાસે કશું માંગવુ નઇ. આપને શ્રમ આપવું નહીં.

રાગ સેવા

જન્માષ્ટમી – રાધાષ્ટમી ઉત્સવોમાં પ્રભુની બાળ લીલાનો કીર્તન ગવાય છે. આ કીર્તન ગઈ કાલ સુધી ગવાય છે. અને આજથી આવતા વીસ દિવસોમાં પ્રભુની દાણ લીલાના કીર્તન ગવાશે. આ દિવસોમાં આપણે દાણ લીલાનું વાંચન કરવુ જોઈએ.

શ્રી ગુસાઇજીની રચીત (સંસ્કૃત), શ્રી હરીરાઇજીની રચીત, કુંભનદાસજીની રચીત, સૂરદાસજીની રચીત દાણ લીલા છે. આ દાણ લીલામાં આપણા સેવ્ય સ્વરૂપનો વિચાર કરીને ધ્યાન ધરવું જોઈએ, જેથી આપણને પ્રભુની આ દાણ લીલાના માનસી દર્શન થઈ શકે.

શૃંગાર સેવા

પ્રભુ ના શૃંગાર ક્રમમાં આજના દિવસે મુકુટ કાછનીનો શૃંગાર થાય છે. કેટલીક વખતે દાણ એકાદશી અને વામન જયંતી એ એક દિવસે આવે છે. ત્યારે દાણ એકાદશીનો શૃંગાર ને પ્રધાનતા અપાય છે. અને જ્યારે એક દિવસે આવે ત્યારે તેરસ ના દિવસે વામન જયંતીનો શૃંગાર પ્રભુને ધરાવવામાં આવે છે.

પ્રભુની મુખ્ય ત્રણ લીલાઓ – શરદ-રાસ, ગૌ-ચારણ, અને દાણ લીલાની ભાવનાથી – મુકુટનો શૃંગાર કરવામાં આવે છે.

ભોગ સેવા

આ દાણ ના 20 દિવસો માં આપણે આપના સેવ્ય સ્વરૂપ ને દાણ ની સામગ્રી નિત્ય ધરવી જોઈએ. દાનની સામગ્રી જો થઈ શકે તો કુલ્લડ માં જ ધરવી. કુલ્લડ માં ધરવાથી આપણને વ્રજ ની લીલા નો ભાવ થાય છે. પ્રભુ ને તો આનંદ  મળશે જ.

નોંધનીય વાત એ છે કે એક વાર જે કુલ્લડ માં સામગ્રી ધરાય એ પાત્ર પ્રસાદી થઈ જાય છે. એને ખાસા કરી ને પણ ફરીથી પ્રભુ ને ના ધરી શકાય. નવા કુલ્લડ માં જ સામગ્રી ધરવી. 20 દિવસ ના 20 કુલ્લડ ની જ આવશ્યકતા છે.

શ્રીનાથજી દર્શન – દાણ એકાદશી 

श्री कृष्ण दान लीला ,, श्रीनाथजी दर्शन दान एकादशी

सभी द्वार में हल्दी से डेली मंढे,बंदरवाल बंधे।सभी समय जमना जल की झरीजी आवे।चारो समय थाली की आरती उतरे।गेंद चौगान,दिवाला सोना के। अभ्यंग ।

साज :– आज प्रातः श्रीजी में दानघाटी में दूध-दही बेचने जाती गोपियों के पास से दान मांगते एवं दूध-दही लूटते  श्री ठाकुरजी एवं सखा जनों के सुन्दर चित्रांकन वाली दानलीला की प्राचीन पिछवाई धरायी जाती है |
राजभोग में पिछवाई बदल के जन्माष्टमी के दिन धराई जाने वाली लाल दरियाई की बड़े लप्पा की सुनहरी ज़री की तुईलैस के हांशिया (किनारी) वाली पिछवाई धरायी जाती है |
गादी, तकिया और चरणचौकी के ऊपर सफेद बिछावट की जाती है |

वस्त्र:- छोटी काछनी,सुथन,पीताम्बर,सब केसरी रूपहरी किनारी के।बड़ी काछनी लाल सुनहरी किनारी की।ठाड़े वस्त्र स्वेत जामदानी के।पिछवाई श्रृंगार में चितराम की दान के भाव की।

आभरण:- सब उत्सव के।माणक की प्रधानता।बनमाला को श्रृंगार।कली, कस्तूरी आदी सब माला आवे।बघनखा धरावे।मुकूट,टोपी मानक के,गोकुल नाथजी वाले।दान के दिन में चोटीजी नहीं आवे।मुकूट पे मुकूट पीतांबर धरावे।वेणु वेत्र माणक के,एक हीरा को।गोटी दान की।आरसी चारझाड़ की।

श्रृंगार के दर्शन में बड़ो कमल धरावे।राजभोग सराय के श्री बालकृष्ण लाल के दूध,दही,घी,बुरा,शहद से पंचामृत होवे।तिलक होवे,तुलसी समर्पे।

विशेष भोग में दही भात,शीतल,दुधघर को साज,हाँड़ी,पके गुंज्या कच्चर,चालनी आदि अरोगे।सकड़ी में केसरी पीठ,मीठी सेव दोहरा अरोगे,गोपी वल्लभ में बुदी के बड़े नग, फीका में चालनी अरोगे।

भोग आरती के दर्शन में हीरा को वेत्र श्रीहस्त में ठाडो धरावे।

मंगला – गोविन्द तिहारो स्वरूप निगम

१ राजभोग – प्रगटे श्री वामन अवतार

२ राजभोग – बली के द्वारे, कहाँ धो री मोल

आरती – पद्म धर्यो

शयन – चरण कमल बंदो

मान – आज सुहावनी रात

पोढवे – मदन मोहन श्याम पोढे

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management |  Shrinathji Nitya Darshan Facebook page

श्री हरीराइजी कृत बड़ी दान लीला

कीर्तन – (राग : सारंग)

कहि धो मोल या दधिको री ग्वालिन श्यामसुंदर हसिहसि बूझत है |
बैचेगी तो ठाडी रहि देखो धो कैसो जमायो, काहेको भागी जाति नयन विशालन  || 1 ||
वृषभान नंदिनी कौ निर्मोलक दह्यौ ताको मौल श्याम हीरा तुमपै न दीयो जाय,
सुनि व्रजराज लाडिले ललन हसि हसि कहत चलत गज चालन |
‘गोविंद’प्रभु पिय प्यारी नेह जान्यो तब मुसिकाय ठाडी भई ऐना बेनी कर सबै आलिन || 2 ||

राग देवगंधार

कबहुँ न सुन्यो दान गोरसकौ ।
तुम तौ कुँवर बड़ेके ढोटा पार नहिं कहुँ जसकौ ॥१॥
रोकत हौ परनारि विपिनमें नेंकु नहीं जिय कसकौ।
परमानंद प्रभु मिसजु दानको है कछु और ही चसकौ ॥२॥

राग विभास

भोरही दान माँगत मोसों गिरिधर।
प्रातही उठि चली जो नगरकों बेचन दधि मटुकी घरि सिर पर ||१||
जो तुम हमसों आरि करौगे तौ हम उलटि जाँयगीं घर
साँची कहोंधों नातर व्रजपतिजु कौन टेव परी तिहारी मनहर ॥२॥

राग देवगंधार

मोहन भाँगत गोरस दान ।
कनक लकुट कर लसत सुभग अति कही न जात पियवान ॥१॥
अति कमनीय कनक तन सुंदरि हँसि परसत पिय पान ।
श्री विठ्ठलगिरिधरन रसिक वर माँगत मृदु मुसिकान ॥२॥