અક્ષય તૃતીયા – ચંદન યાત્રા

તિથી : વૈશાખ શકુલપક્ષ તૃતીયા

  • અક્ષય તૃતીયા ઉત્સવ માહત્મ્ય ,
  • ઉત્સવ ની સાથે જોડાયેલ પ્રસંગ,
  • ઉત્સવ સાથે જોડાયેલ પ્રભુ ની સુંદર લીલા,
  • પુષ્ટિમાર્ગ સેવા ક્રમ ,
  • ઉત્સવ પદ,
  • ઉષ્ણકાલીન સેવા ક્રમ

આ તિથી નો ક્ષય થતો નથી , જેથી આજના દિવસ ના પુણ્ય નો પણ ક્ષય થતો નથી. જેથી અક્ષય તૃતીયા કહેવાય છે.

અક્ષય તૃતીયા ઇતિહાસ

  • આ તિથી થી  ત્રેતા યુગ નો આરંભ થયો છે.
  • આજ ના જ દિવસે શ્રી કુબેરે શિવપુરમ માં શિવજી ની ઉપાસના કરીને પુનઃ સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી.
  • આજે પરશુરામ જયંતી પણ છે, પ્રભુ નો સ્વભાવ ઉગ્ર હોવાથી, આજે ચંદન ધરાવવા માં આવે, શીતોપચાર થાય છે.
  • આ ઉત્સવ ને ચંદન યાત્રા પણ કહેવાય છે.
  • આજ ના દિવસે ગુરકુલ ના ઘણા વર્ષ પછી દ્વારિકા નગરી માં અદભૂત અલૌકિક ભગવાન શ્રી ક્રુષ્ણ અને સુદામા નું  સખા મિલન થયું હતું.
  • આજ ના જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે હસ્તિનાપુર ના દરબાર માં થય રહેલ  ચીરહરણ થી દ્રૌપદી ની રક્ષા કરી ચીર પૂર્યા હતા.
  • આજ ના જ દિવસે યુધિષ્ઠિર ને સૂર્યદેવ પાસેથી અક્ષય પાત્ર પ્રાપ્ત થયું હતું.
  • આજ ના જ દિવસે મહાભારત યુદ્ધ નું અંત થયું હતું.
  • આજ ના જ દિવસે ભગવાન નર – નારાયણ રૂપ અવતાર ભૂતલ લીધો અને જીવોને તપશ્યા કરતાં શિખવાડિયું હતું. આપશ્રી એ હિમાલય માં તપશ્યા કરી હતી.  આપનું બરફથી રક્ષણ  કરવા હેતુ શ્રી લક્ષ્મીજી એ બોર ના વૃક્ષ નું રૂપ ધર્યું  હતું . આજે એ જ સ્થાન પર બદ્રીનાથ ધામ સ્થિત છે.
  • આજના  દિવસથી જ  ચાર ધામ માંથી એક બદ્રીનાથ ધામ ના દ્વાર ખૂલે છે.
  • જગન્નાથ પૂરી દર વર્ષે થતી આયોજિત રથયાત્રા ના રથ ના નિર્માણ નું કાર્ય આજ ની તિથી થી આરંભ થાય છે.
  • વૃંદાવન માં બિરાજીત શ્રી બાંકે બિહારીજી ના શ્રી ચરણો ના દર્શન માત્ર આજની જ તિથી પર થાય છે.
  • આજના જ દિવસે જ ગિરિરાજજી ઉપર આવેલ શ્રીનાથજી ના મંદિર નો પાયો રાખવામાં આવ્યો હતો.
  • આજના દિવસે જ શ્રી ગૂસાઈજી પ્રભુચરણ ના દ્વિતીય વિવાહ થયા હતા.
  • આજના જ દિવસે વી.સં. 1576 માં ગિરિરાજજી પર મંદિર માં મહાપ્રભુજી દ્વારા શ્રીનાથજી ને પાટે પધરાવવા માં આવ્યા હતા.

Shrinathji Patotsav Govardhan jatipura , Akshay tritiya history , akshay tritiya and pushtimarg , Chandan yatra

Banke bihariji charan darshan Akshay Tritiya Darshan vrindavan

શ્રી બાંકે બિહારીજી ના દર્શન અક્ષય તૃતીયા

.

અલૌકિક મિલન

શ્રી ઠાકોરજી અને ચાર યૂથ ના સ્વામીનીજી ના અલૌકિક મિલન

શ્રી ઠાકોરજી નું,

 પ્રથમ યૂથ ના સ્વામીનીજી શ્રી રાધાજી સાથે અલૌકિક મિલન – દેવ પ્રબોધિની એકાદશી 

દ્વિતીયા યૂથ ના સ્વામીનીજી શ્રી ચંદ્રાવલીજી સાથે અલૌકિક મિલન – દ્વિતીય પાટ માનવામાં આવે છે. 

તૃતીયા યૂથ ના સ્વામીનીજી શ્રી અગ્નિ કુમારિકા સાથે અલૌકિક મિલન – અક્ષય તૃતીયા 

ચતુર્થ યૂથ ના સ્વામીનીજી શ્રી યમુનાજી સાથે અલૌકિક મિલન – ગંગા દશેરા

અદભૂત પ્રસંગ

આજના દિવસ ની સાથે જોડાયેલ બાલકૃષ્ણ નો અનેરો અને મોહક પ્રસંગ.

પ્રભુ શ્રી ક્રુષ્ણ નું મુંડન સંસ્કાર 

પ્રાચીન સમયમાં, વ્રજના લોકોનો મુખ્ય વ્યવસાય ગોચારણ હતો, એટલે મુખ્ય વ્યવસાય સંબંધિત કેટલીક વર્જનાઓ પણ હતી. આપણે તેને વર્જનાઓ કહીએ કે સામાજિક નિયમો, પરંતુ બાળકનું મુંડન ન થાય ત્યાં સુધી તેને જંગલમાં ગાય ચરાવવા માટે ન મોકલવામાં આવતો.

બાળક કૃષ્ણ દરરોજ પોતાના પરિવારના અને આજુબાજુના બધા પુરુષોને, થોડા મોટા છોકરાઓને ગાય ચરાવતા જોતા તો તેમનું પણ મન થતું, પરંતુ માતા યશોદા તેમને મનાઈ કરતી કે “હજી તું નાનો છે, થોડો મોટો થા પછી જવા દઈશ.”

એક દિવસ બલરામજીને ગાય ચરાવતા જોઈને કૃષ્ણ અડગ થઈ ગયા – “દાઉ જાય છે તો હું પણ ગાય ચરાવવા જઈશ… આ શું વાત થઈ… એ મોટા અને હું નાનો?

માતાએ સમજાવ્યું કે “દાઉનું મુંડન થઈ ગયું છે એટલે તે જઈ શકે છે, તારું મુંડન થઈ જશે તો તું પણ જઈ શકીશ.

કૃષ્ણને ચિંતા થઈ કે સુંદર વાળ રાખે કે ગાય ચરાવવા જાય?

ઘણું વિચાર્યા પછી તેમણે વિચાર્યું કે વાળ તો ફરી ઉગી જશે પરંતુ ગાય ચરાવવાનો આનંદ હવે મારાથી દૂર ન રહેવો જોઈએ.

તેઓ તરત નંદબાબા પાસે બોલ્યા – “કાલે જ મારું મુંડન કરાવી દો… મને ગાય ચરાવવા જવું છે.

નંદબાબા હસીને બોલ્યા – “એમ કેવી રીતે મુંડન કરાવી દઈએ… અમારા લાલાના મુંડનમાં તો ઘણું મોટું આયોજન કરીશું પછી લાલાના વાળ જશે.”

કાન્હા એ અધીરતાથી કહ્યું – “તમે જે આયોજન કરવું હોય તે કરો પર મને ગાય ચરાવવા જવું છે… તમે ઝડપથી મારું મુંડન કરાવો.”

મુંડન તો કરાવવાનું જ હતું એટલે નંદબાબાએ ગર્ગાચાર્યજી પાસે લાલાના મુંડનનું શુભ મુહૂર્ત કાઢવાની વિનંતી કરી. નજીકમાં અક્ષય તૃતીયાનો દિવસ શુભ હતો એટલે તે દિવસે મુંડનનું આયોજન નક્કી થયું. આસપાસના બધા ગામોમાં નિમંત્રણો વહેંચાયા, હર્ષોલ્લાસથી ઘણી તૈયારીઓ કરાઈ.

છેવટે આયોજનનો દિવસ આવી ગયો. આસપાસના ગામોના હજારો મહેમાનોની હાજરીમાં ભવ્ય આયોજન થયું, અને લાલન નું  મુંડન થયું.

श्रीकृष्ण का मुंडन संस्कार

અને મુંડન થતાં જ લાલાએ મૈયાને કહ્યું – “મૈયા મને કલેવું (નાસ્તો) આપો…મને ગાય ચરાવવા જવું છે.”

મૈયા થોડી નારાજ થઈને બોલી – “આટલા બધા મહેમાન આવ્યા છે ઘરમાં તને જોવા અને તું છે કે આટલી ગરમીમાં ગાય ચરાવવા જવા માંગે છે…થોડા દિવસ રોકાઈ જા ગરમી ઓછી પડે તો હું તને દાઉની સાથે મોકલી દઈશ.”

લાલા પણ અડગ રહ્યા – “એવું થોડું હોય છે…મેં તો ગાય ચરાવવા માટે જ મુંડન કરાવ્યું હતું…નહીંતર હું મારા સુંદર વાળને કાપવા દેતો કેમ? હું કશું નથી જાણતો…હું તો આજે અને હમણાં જ જઈશ ગાય ચરાવવા.”

મૈયાએ નંદબાબાને બોલાવીને કહ્યું – “કાનુડો  માનતો નથી…થોડી દૂર સુધી તમે તેની સાથે જઈ આવો…તેનું મન પણ બહેલાઈ જશે…કારણ કે આ ગરમીમાં હું તેને દાઉની સાથે કે એકલો તો મોકલીશ નહીં.

નંદબાબા બધાને છોડીને નીકળ્યા. લાલા પણ પૂરી તૈયારી સાથે છડી, વાંસળી, કલેવાની પોટલી લઈને નીકળ્યા.  અને એક વાછરડું પણ લઈ લીધું જેને “હુર્ર…હુર્ર” કરીને ઘેરીને તેઓ પોતાના મનમાં જ ખૂબ ખુશ થઈ રહ્યા હતા…કે આખરે હું મોટો થઈ ગયો.

વૈશાખ મહિનાની ગરમી હતી અને વ્રજમાં તો આમપણ ગરમી પ્રચંડ હોય છે. થોડીવારમાં જ બાળક શ્રીકૃષ્ણ ગરમીથી બેહાલ થઈ ગયા, પરંતુ પોતાની જિદ સામે હાર કેમ માનવી? બાબાને કહેવું કેમ કે હું થાકી ગયો છું… હવે ઘર લઈ જાઓ.

બાબા સાથે તેઓ ચાલતા રહ્યા. જો મૈયા હોત તો પોતે જ સમજીને લાલાને ઘરે લઈ જાત, પરંતુ બાબા પણ ચાલતા રહ્યા.

થોડી જ દૂરે લલિતાજી અને અન્ય કેટલીક સખીઓ મળી. તેમણે જોતાં જ લાલાની હાલત સમજી ગઈ. ગરમીથી કૃષ્ણનું મુખ લાલ થઈ ગયું હતું અને માથા પર વાળ પણ ન હતા, એટલે કાનજી  પરસેવે પરસેવે લાલ થઈ ગયા હતા.

गोचारण लीला

તેમણે નંદબાબાને કહ્યું કે તમે લાલ ને અમારી પાસે મૂકી જાઓ. અમે થોડીવાર પછી તેને નંદાલય પહોંચાડી દઈશું. નંદબાબાને રવાના કરીને તેઓ લાલાને નજીકના જ પોતાના કુંજમાં લઈ ગયાં. તેમણે બાળ કૃષ્ણને કદંબની શીતળ છાંયામાં બેસાડ્યા અને પોતાની એક સખીને ઘરેથી ચંદન, ખરબૂજાના બીજ, મિશ્રીનું પાકું બૂરું, ઈલાયચી, મિશ્રી વગેરે લાવવા કહ્યું.

બધી સામગ્રી લાવીને તે સખીઓએ પ્રેમભાવથી કૃષ્ણના શરીર પર ચંદનની ગોટીઓ લગાવી અને માથા પર ચંદનનું લેપ કર્યું. કેટલીક સખીઓએ નજીકમાં જ બૂરા અને ખરબૂજાના બીજના લાડુ બનાવી દીધા અને ઈલાયચીને પીસીને મિશ્રીના રસમાં મેળવીને શીતળ શરબત તૈયાર કરી દીધું અને બાળ કૃષ્ણને પ્રેમપૂર્વક આરોગ્યા.

સાથે જ લલિતાજી લાલાને પંખો કરવા લાગી. આ બધું આરોગ્યા પછી લાલાને ઊંઘ આવવા લાગી તો લલિતાજીએ તેમને ત્યાં જ સૂવા કહ્યું.  અને પોતે તેમને પંખો ચલાવતી રહી. થોડી વાર આરામ કર્યા પછી પ્રભુ જાગ્યા અને લલિતાજી લાલન ને નંદાલય પધરાવી ગયા.

Prasang Credits : Shrinathji Nity Darshan Facebook Page

वैशाख शुक्ल पक्ष तृतीया •

अक्षय तृतीया •

सभी द्वार में डेली मंढे, बंदरवाल बंधे। सभी समय जमनाजल की झरीजी अरोगे। चारो समय थाली की आरती। टेरा चंदुआ सब स्वेत। खस के टेरा आवे। साज सब चाँदी को। अभ्यंग। गेंद चौगान, दिवला चाँदी के। आज से चार बाती की आरती। राजभोग में बीड़ा की सिकोरी आवे। मोती को चौखटा। आज से करवा, कुंजा, चन्दन की बरनी, शीतल नित्य में आवे।

वस्त्रः-पिछोड़ा स्वेत, केसर की कोर को। कूल्हे स्वेत, रूपहरी किनारी की ठाड़े वस्त्र केसरी डोरिया के। पिछवाई सफ़ेद, चिकन बूटी की।

आभरण:- सब उष्णकाल व उत्सव के। मध्य को श्रृंगार। श्रीकर्ण में हीरा के कुंडल धरावे। श्रीमस्तक पे तीन मोर चन्द्रिका को जोड़। वेणु वेत्र मोती के। पट उष्णकाल को, गोटीमोती की। आरसी सोना के डाँडी की।

राजभोग सरे कुंजा, करवा, पंखा, चन्दन, बरनी आदी को अधिवासन होवे। दर्शन खुले। प्रभु के चन्दन की गोली धरावे। दर्शन पीछे उत्सवभोग आवे। भोग में दूध घर की हाँड़ी, बीज के नग, दूध घर को साज, दहीभात, सतुआ फल फूल, चालनी, संधाना, शीतल आदी अरोगे। फिर दूसरे राजभोग के दर्शन खुले। सकड़ी भोग में बड़े टूक, पाटिया, दहीभात, सतुआ आदी अरोगे।

मंगला – रतन जटित कनक धार 

राजभोग – अक्षय तृतीया अक्षय

२ राजभोग –  देख सखी गोविन्द के चंदन 

आरती – पिछोरा ब्रासा को कटी

शयन – मेरे ग्रह चंदन अति कोमल 

पोढवे – रंग महल गोविन्द पौडे

आज प्रभु के मुंडन का दिन भी है और इस कारण आज के उत्सव में ठाकुरजी के ननिहाल के सदस्य भी आमंत्रित किये जाते हैं और इसीलिए आज श्री यशोदाजी के पीहर की लकड़ी की विशिष्ट चौकी का प्रयोग भोग धरने में किया जाता है |

अक्षय तृतीया के पद :

अक्षय तृतीया अक्षयलीला नवरंग गिरिधर पहेरत चंदन l

वामभाग वृषभान नंदिनी बिचबिच चित्र नव वंदन ll 1 ll

तनसुख छींट ईजार बनी है पीत उपरना विरह-निकंदन l

उर उदार बनमाल मल्लिका सुखद पाग युवतीन मनफंदन ll 2 ll

नखसिख रत्न अलंकृत भूषन श्रीवल्लभ मारग मनरंजन l

‘कृष्णदास’ प्रभु रसिक सिरोमनि लोचन चपल लजावत खंजन ll 3 ll

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

Akshay Tritiya in Pushtimarg , Chandan Yatra , Akshay Tritiya pushtimarg seva kram , Shrinathji darshan , Shrinathji Patotsav govardhan jatipura

हमारे पुष्टिमार्ग मे सेवाक्रम इतनी बारिकाई से बनाया गया है की एक ऋतु से दूसरी ऋतु का क्रम धीरे धीरे करते पूर्णतः बदलता है | जैसे डोलोत्सव से शीतकालीन सेवा क्रम धीरे धीरे काम होता है , और चैत्र नव वर्ष , राम नवमी , महाप्रभुजी का उत्सव दौरान क्रमानुसार उष्णकालीन सेवा क्रम बढ़ता है और आज से  पूर्णतः उष्णकालीन  सेवा क्रम आरंभ होता है |

आज से

साज

टेरा आदि सब श्वेत होते है | शयन समय शैयाजी के ऊपर छींट की गादी एवं उसके ऊपर श्वेत मलमल की चादर रखी जाती है | शैयाजी का यह क्रम आषाढ़ शुक्ल पूर्णिमा तक रहता है | वेणुजी , जारीजी, सिहासन, बंटाजी , पडघा सब स्वर्ण से बदलकर चांदी के होते है |  आज से प्रभु को जारीजी के साथ सफेद माटी के कुंजा आते है | जारीजी मे नेवडा का वस्त्र श्वेत रंग का ही आवे | आज से प्रभु को खस के पंखा की जोड़ सिहासन  के पीछे धरी जाती है |

आज के दिवस को चंदन यात्रा भी कहते है | आज से प्रभु को कई दिन तक चंदन धराया जाता है | चंदन धरने की अपनी एक रीत है | चन्दन को घिस के मलमल के वस्त्र में लेकर जल निचो लिया जाता है एवं इसमें केशर, बरास, इत्र (खस अथवा गुलाब), गुलाबजल आदि मिलाकर इसकी गोलियां बनायी जाती है | पहली गोली प्रभु के वक्षस्थल पर, दूसरी गोली, दायें श्रीहस्त में, तीसरी बायें श्रीहस्त पर, चौथी दायें श्रीचरण पर और पांचवी गोली बायें श्रीचरण पर धरी जाती है |

वस्त्र

आज से प्रभु को पिछोड़ा, आड़बंद, परधनी, धोती-उपरना और मल्लकाछ आदि ऊष्णकालीन वस्त्र ही धराये जाते हैं | लालन को मात्र चुनरी ही धराई जाती है | रंगों में भी प्रभु को श्वेत, अरगजाई, गुलाबी, चंपाई, चंदनिया आदि हल्के शीतल रंगों के वस्त्र ही धराये जायेंगे | ज्येष्ठाभिषेक (स्नानयात्रा) के पश्चात गहरे रंग पुनः धराये जा सकते हैं |

शृंगार

आज से मोती, छीप, चन्दन व पुष्प आदि के श्रृंगार धराये जा सकते हैं. इन दिनों मे मोगरे फूल के कली के शृंगार भी आरंभ होंगे |

शीतोपचार

उष्णता मे प्रभु सुखार्थ शीतोपचार किए जाते है |

आज से जन्माष्टमी तक प्रतिदिन संध्या-आरती में प्रभु को शीतल जल में बूरा, गुलाबजल, इलायची, बरास आदि मिलाकर सिद्ध किया गया पेय- पन्ना (सरबत) अरोगाया जाता है | लिम्बू का पन्ना इत्यादि धराए जाते है |

चैत्र नव वर्ष से ही प्रभु को फूल मंडली धरानी आरंभ हो चुकी है | फिर खस के बंग्ला धराए जाते है | सेवा मे प्रभु सन्मुख फवारे रखे जाते है | इन दिनों मे प्रभु की सेवा मे नाव मनोरथ का आयोजन किया जाता है |

આજથી ઉષ્ણકાલ માં ગવાતા મંગલા થી શયન પર્યંત ના કીર્તન નીચે આપેલ ઈ-બૂક પર અવેલેબલ છે.

UshnaKal Seva kram Kirtan