રથયાત્રા

રથયાત્રા પુષ્ટિમાર્ગ સેવા ક્રમ. ઉત્સવ માહત્મ્ય, માર્યાદાભાવ કથા, રથયાત્રા પુષ્ટિમાર્ગ ભાવ – બાલ ભાવ , કિશોરભાવ સેવા ક્રમ. ઉત્સવ શ્રીનાથજી દર્શન. રથયાત્રા ના પદ. ઉત્સવ સાથે જોડાયેલ મહાપ્રભુજી નો પ્રસંગ.

જગન્નાથ પૂરી માં રથયાત્રા ઉત્સવ અષાઢ સુદ બીજ ના દિવસે મનાવવા માં આવે છે.  પરંતુ પુષ્ટિમાર્ગ માં રથયાત્રા ઉત્સવ અષાઢ સુદ એકમ થી ત્રીજ દરમ્યાન જે દિવસે સૂર્યોદય સમય પર પુષ્ય નક્ષત્ર હોય એ દિવસે ઉત્સવ મનાવવા માં આવે છે.

રથયાત્રા મર્યાદા માર્ગ ભાવ 

જ્યારે શ્રી સુભદ્રાજીએ ભગવાનને શહેરની મુલાકાત લેવા વિનંતી કરી, ત્યારે ભગવાન દાઉજી શ્રી સુભદ્રાજી સાથે દ્વારકા શહેરને જોવા માટે રથમાં પધાર્યા. નગરવાસીઓ દર્શને પધાર્યા. પ્રભુ ભક્તો ની કૃપા કરતા.

રથયાત્રાનો ઉત્સવ કંઈક ભાવથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન જગન્નાથ પૂરી માં ત્રણ સ્વરૂપ ના રથ નું નિર્માણ કાર્ય અક્ષય તૃતીયા  થી આરંભ થાય છે. રથ નું નિર્માણ કરીને, સજાવીને ઉત્સવ ના દિવસે પ્રભુ ને બિરાજમાન કરવામાં આવે છે.

પછી સમગ્ર નગર યાત્રા થાય છે. લાખો શ્રધ્ધાળુ દર્શન કરવા આવે છે.

જગન્નાથ પૂરી રથયાત્રા કથા અને પૂજન

પુષ્ટિમાર્ગ માં રથયાત્રા 

શ્રી ગૂસાઈજી વી.સં. 1616 માં મહા શુક્લપક્ષ 13 ના દિવસે જગન્નાથ પૂરી પધાર્યા. આપશ્રી અહી 6 માહ બિરાજ્યા. રથયાત્રા નો ઉત્સવ આપશ્રી એ અહીજ ઉજવ્યો. એ સમયે ભગવાન શ્રી જગદિશે  પુષ્ટિમાર્ગ માં રથયાત્રા ઉત્સવ નો આરંભ કરવાની આજ્ઞા કરી.

જ્યારે ગૂસાઈજી અડેલ પધાર્યા. ત્યારે રાસા નામક સુથાર પાસેથી રથ સિદ્ધ કરાવ્યો. એમા શ્રી નવનીતપ્રિયાજી પ્રભુ ને બિરાજમાન કરી રથ યાત્રા નો ઉત્સવ અષાઢ સુદ બીજ માં પુષ્ય નક્ષત્ર ના સમય થી આરંભ કર્યો.

જે ઘરો માં બાલ સ્વરૂપ પ્રધાન છે, એ મંદિરો માં પ્રભુ ના રથ ની સાથે ઘોડા નથી હોતા. પ્રભુ બાલ સ્વરૂપ થી બિરાજે છે. બાળક ને અશ્વ થી ભય ના લાગે; એ કારણે અશ્વ નથી હોતા.

જયા કિશોર ભાવ પ્રધાન હોય છે, એ મંદિરો માં કાષ્ઠ ના અશ્વ અવશ્ય ધરવામાં આવે છે.

નાથદ્વારા માં શ્રીજી સન્મુખ ચાંદી નો રથ  આજથી અષાઢ સુદ પૂનમ સુધી રાજભોગ દર્શન માં ધરવામાં છે. શ્રીજી સિવાય અન્ય ઘરો માં ચાર યૂથ ના ભાવ થી ચાર રાજભોગ ના દર્શન થાય છે.

બાલ ભાવ 

જયા બાળ ભાવ સાથે ઉજવવામાં આવે છે ત્યાં માતા યશોદા ભગવાનને રથમાં બેસાડી સંપૂર્ણ વ્રજ માં  પરિભ્રમણ કરે છે.  અને ભગવાન ચારેય યુથની મનોકામના પૂર્ણ કરે છે.બાલભાવ માં રથમાં અશ્વ  નથી હોતા કારણ કે પ્રભુ  બાળક છે, તેઓ અશ્વ થી દરે નહીં એનું ધ્યાન રાખવામાં આવે છે.  એટલે જ રથ પ્રભુ ના બાલ  સખા  જ  ખેંચે છે. ગોપીઓ પ્રભુને  રથયાત્રા દરમિયાન પોતાના ઘરમાં પધરાવે છે.

રથયાત્રા પુષ્ટિમાર્ગ બાલ ભાવ સેવ ક્રમ

કિશોર ભાવ 

કિશોર ભાવના સાથે રથયાત્રા ઉજવવામાં આવે છે.
જેમાં ઠાકોરજી  સ્વામિનીજી સાથે રથમાં બિરાજે છે અને બે સખીઓ  અર્શ્વની ભાવનાથી રથને સાજે છે.

રથયાત્રા કિશોરભાવ સેવા ક્રમ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આસુરવ્યામોહ લીલા

વિક્રમ સંવંત 1587 માં શ્રી ઠાકોરજી એ શ્રી મહાપ્રભુજી ને અડેલ માં ત્રીજી વખત ભૂતલ ત્યાગ ની આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજી ની આજ્ઞા ને શીરોધાન કરીને ગૃહસ્થાશ્રમ નો ત્યાગ કરી, ત્રિદંડ સન્યાસ ધારણ કર્યો. મૌન ધારણ કર્યું.

39 દિવસ સન્યાસ પછી 40 માં દિવસે ગંગાજી ના હનુમાન ઘાટ પર શ્રી ગૂસાઈજી અને શ્રી ગોપીનાથજી બાલકો મહાપ્રભુજી પાસે આવ્યા. મહાપ્રભુજી ને મૌન હતું. મહાપ્રભુજી એ એમને અંતિમ ઉપદેશ તરીકે ‘સાર્ધયત્ર’ અર્થાત સાડા ત્રણ શ્લોક રેતી પર લખ્યા. જે ‘શિક્ષા શ્ર્લોકી’ તરીકે ઓળખાયું.

यदा बहिर्मुखा यूयं भविष्यथ कथंचन।
तदा कालप्रवाहस्था देहचित्तादयोऽप्युत।।1।।

सर्वथा भक्षयिष्यन्ति युष्मानिति मतिर्मम।
न लौकिकः प्रभुः कृष्णो मनुते नैव लौकिकम् ।।2।।

એ સમયે સાક્ષાત શ્રીજી સ્વયં મહાપ્રભુજી પાસે પ્રકટ થયા. મહાપ્રભુજીએ શ્રીનાથજી ની સન્મુખ જોઈ ને ત્રીજા શ્લોક ની રચના કરી.

भावस्तत्राप्य स्मदीयः सर्वस्वश्चैहिकश्च सः।
परलोकश्च तेनायं सर्वभावेन सर्वथा ।।3।।
सेव्यः स एव गोपीशो विधास्यत्यखिलं हि नः।।31/2।।

જે સમયે મહાપ્રભુજી એ સાડા ત્રણ શ્ર્લોક લખ્યા, ત્યારે સ્વયં પ્રભુ એ ડોઢ શ્ર્લોક ની રચના કરી ને મહાપ્રભુજી ની આજ્ઞા પર જાણે સિક્કો માર્યો હોય એમ મહાપ્રભુજી દ્વારા રચિત શિક્ષા શ્ર્લોકો ને પૂર્ણ કર્યા. જે નીચે મુજબ છે.

मयि चेदस्ति विश्वासः श्रीगोपीजनवल्लभे ।।4।।
तदा कृतार्था यूयं हि शोचनीयं न कर्हिचित् ।
मुक्तिर्हित्वाऽन्यथा रूपं स्वरूपेण व्यवस्थिति।। 5।।

ભાવાર્થ :
જો તમે કોઈપણ રીતે ભગવાનથી વિમુખ થઈ જશો, તો સમયની ધારામાં સ્થિત તમારું દેહ અને ચિત્ત તમને સંપૂર્ણપણે ગ્રસી જશે. આ મારું દૃઢ મત છે. ભગવાન શ્રીકૃષ્ણને લૌકિક માનવું નહીં. ભગવાનને કોઈ લૌકિક વસ્તુની જરૂર નથી.

બધું જ ભગવાન જ છે. આપણું લોક અને પરલોક પણ તેમનાથી જ છે. મનમાં આ ભાવ સ્થાપિત રાખવો જોઈએ. આ ભાવને મનમાં સ્થિર કરીને સર્વભાવે ગોપીશ્વર પ્રભુ શ્રીકૃષ્ણચંદ્રની સેવા કરવી જોઈએ. તે જ તમારા માટે બધું કરશે.

શ્રીનાથજી ને દંડવત કરી મહાપ્રભુજી ઠાડા થયા. ધીરે ધીરે એક એક ચરણ ગંગા જી માં પધરાવવા લાગ્યા. ગંગાજી માં તરંગો ઉછળવા લાગી. આપશ્રી નાભી સુધી – કટી સુધી ગંગાજીની મધ્ય ધાર માં પધાર્યા. ત્યારે એક દિવ્ય પૂંજ પ્રકટ થયું.

અને સુર્ય મંડળ સુધી જઈ ને સ્થિર થયું. હજારો સેવકો, અને અન્ય વ્યક્તિઓ એ આ લીલા ના દર્શન કર્યા. એ સમયે વિદેશથી આવેલ અંગેજ લેખક ભારત ના વિશ્વ વિધાલય માં આવેલ હતો. ભાગ્યવશ એ પણ ત્યાં હાજર હતો.

એને આ દિવ્ય લીલા ના દર્શન કર્યા. એને એની લખેલી પુષ્તક માં એની નજરે નિહારેલા દ્રશ્ય ના વર્ણન કરતાં કહ્યું “આ સંસાર ની મહાન આશ્ચર્ય કારક ઘટના હતી, આવી ઘટના મે  ક્યારેય નિહાળી ન હતી”.

આ અલૌકિક લીલા લગભગ 3 કલાક સુધી નિરંતર ચાલતી રહી. મહાપ્રભુજી સ્વધામ પધાર્યા. શ્રી વલ્લભે  આસુર વ્યામુર લીલા કરી છે. મહાપ્રભુજી એ આપના એ દિવ્ય પૂંજ ને દંડવતી શીલા પાસે શ્રી ગિરિરાજજી ની કંદરા માં પધાર્યું.

રથયાત્રા મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા
રથયાત્રા મહાપ્રભુજી નિત્ય લીલા ગમન

રથયાત્રા શ્રીનાથજી દર્શન | શ્રીનાથજી સેવા ક્રમ 

રથયાત્રા પુષ્ટિમાર્ગ સેવા ક્રમ

सभी द्वार में डेली मंढे,बंदरवाल बंधे।  जमनाजल की झारीजी । थाली की आरतीे। गेंद चौगान,दिवाला चाँदी के। मोती को चौखटा आवे । राजभोग समय चाँदी को रथ ,प्रभु के सनमुख आवे । आज से सेवाक्रम में कई परिवर्तन होंगे |

आज से उष्णकाल धीरे धीरे पूर्णाहुति की ओर एवं वर्षा ऋतु का आगमन होता है | आज से मल्हार राग के पदों का गायन प्रारंभ होगा |

शीतल जल के फव्वारे, खस के पर्दे, खस के पंखा, जल का छिड़काव, प्रभु के सम्मुख जल में रजत खिलौनों का थाल, मणिकोठा में पुष्पों पत्तियों से सुसज्जित फुलवारी आदि ऊष्णकाल के धोतक साज आज से पूर्ण हो जायेंगे |

आज से छिड़काव,खस के पंखा,जमना जल को थाल,फुवारा आदी सेवा बंद होवे । अभ्यंग ।

साज : श्रीजी में आज सफेद मलमल की सुनहरी ज़री की तुईलैस के ‘धोरे-वाली’ वाली पिछवाई धरायी जाती है | गादी, तकिया और चरणचौकी के ऊपर सफेद बिछावट की जाती है |

वस्त्र : आज ही मध्याह्न समय श्री महाप्रभुजी ने गंगाजी की मध्यधारा में सदेह प्रवेश कर आसुरव्यामोह लीला कर नित्यलीला में प्रवेश किया था, जिसके स्मरण में आज के दिन श्रीजी को श्वेत वस्त्र धराये जाते हैं |

पर्वरुपी उत्सव के कारण कुल्हे जोड़ का श्रृंगार धराया जाता है | पिछोड़ा डोरिया को स्वेत,धोरा को।श्रीमस्तक पे स्वेत कूल्हे,सुनहरी किनारी की।ठाड़े वस्त्र केसरी,डोरिया के।पिछवाई स्वेत सुनहरी किनारी के धोरा की।

आभरण : सब हीरा व उष्णकाल के मिलमा।श्रृंगार बनमाला से दो आगुल उचो।आज हास, चोटी, पायल नहीं आवे।कली, वल्लभी,आदी सब माला आवे।नीचे पदक,ऊपर माला,हार आदी धरावे।श्रीमस्तक पे पाँच मोर चन्द्रिका को जोड़ आवे।वेणु वेत्र हीरा के,एक वेत्र मोती को।पट उष्णकाल को,गोटी मोती की।

कीर्तन :

मंगला – कुँवर चलो जू आगे गहबर वन 

राजभोग – गोवर्धन पर्वत ऊपर

आरती – गाय सब गोवर्धन ते आई 

शयन – सुंदर बदन री सुख सदन

मान – तेरो मन गिरधर बिन न रहेगो

पोढवे – पोढिये लाल लाडिली संग

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

राग बिलावल

तुम देखो सखीरी आज नयन भर हरिजूके रथ की शोभा ॥ योग यज्ञ जप तप तीरथ व्रत कीजियतहे जिहि लोभा ॥१ ॥
चारुचक्रमणि खचित मनोहर चंचल चमर पताका ॥ श्वेत छत्र जनुशशि प्राचीदिश उदितभयो निशि राका ॥२ ॥
श्यामशरीर सुदेश पीतपट शीश मुकुट ओर माला ॥ मानोदामिनी घन रवि तारा गण उदित एकही काला ॥ ३ ॥
उपजत छबि कर अधर शंखध्वनि सुनीयत शब्द प्रशंसा ॥ मानहुं अरुण कमल मन्डल में कूजतहें कलहंसा ।। ४ ।।
आनंदित पितुभ्रात जननी सब कृष्ण मिलन जीय भावे ॥ सूरदास गोकुलके बासी प्राणनाथ वरपावे ॥५ ॥

राग मल्हार

जसोदा रथ देखन कों आई ॥ देखोरी मेरोलाल गिरेगो कहाकरों मेरीमाई ॥१ ॥
मेरो ढोटा पालने सोवे उंधरक उधरक रोवे ।। अघासुर बकासुर मारे नेन निरंतर जोवे ॥२ ॥
देहरी उलंघन गिर्योरी मोहन सोई घात में जानी ॥ परमानंद होऊ तहां ठाडे कहत नंदजुकी रानी ॥३ ॥

राग मल्हार

रथचढ चलत यशोदा आंगन ॥ विविध शृंगार सकल अंग शोभित मोहत कोटि अनंगन ॥१ ॥
बालक लीला भाव जनावत किलक हँसत नंदनंदन ॥ गरें बिराजत हार कुसुमनके चर्चित चोवाचंदन ||२ ||
अपने अपने गृह पधरावत सब मिलि व्रजयुवती जन || हर्षित अति अर्पत सब सर्वस्व वारतहें तन मन धन || ३ ||
सब व्रजदे सुख आवत घर कों करत आरती ततछन || रसिकदास हरि की यह लीला वसो हमारे ही मन ॥ ४ ॥

रथ में से उतरने के पद

राग मल्हार

लालमाई खरेई बिराजत आज ।। रत्न खचित रथ ऊपर बैठे नवल नवल सबसाज ॥१॥
सूथन लाल काछनी शोभित उरवैजयंती माल ॥ माथें मुकुट ओढें पीतांबर अंबुज नयन विशाल || २ ||
श्यामअंग आभूषण पहरें झलकत लोल कपोल ।। बारबार चितवत सबही तन बोलत मीठे बोल ॥ ३ ॥
यह छबि निरख निरख व्रजसुंद‌र लोचन भरभर लेहो ।। फिर फिर झांकझांक मुख देखो रोमरोम सुखपेहो ॥४ ।।
उतरलाल मंदिरमें आये मुरली मधुर बजाय ॥ निरख निरख फूलत नंदरानी मुख चुंबत ढिंगआय ॥५ ॥
अति शोभित करलियें आरती करत सिहाय सिहाय ।। श्रीविद्वल गिरिधरनलाल पर वारत नाहिं अघाय ।।६ ।।