શ્રીનાથજી દ્વિતીયા પાટોત્સવ

પુષ્ટિમાર્ગ શ્રીનાથજી દ્વિતીયા પાટોત્સવ કેમ ઉજવવામાં આવે છે ? , ઇતિહાસ, શ્રી ગિવર્ધનનાથજી દ્વિતીય પાટોત્સવ સેવા ક્રમ, શ્રીનાથજી દર્શન, ઉત્સવ કીર્તન, દ્વિતીય પાટોત્સવ ઉત્સવ ભાવના, આજથી થતાં ઉષ્ણકાલીન સેવા ના ફેરફાર ની માહિતી.

તિથી  : ફાગણ વદ એકમ

આજનો ઉત્સવ ચંદ્રાવલીજીની નો ઉત્સવ છે, માટે તેમની તરફથી રાજભોગમાં ચૈત્રી-ગુલાબના ફૂલોની મંડળીનો મનોરથ થાય છે. આજથી

૧૦ દિવસ કુંજલીલા યમુનાજીના ભાવના,

૧૦ દિવસ નિકુંજલીલા લલિતાજીના ભાવના,

૧૦ દિવસ નિબિડ નિકુંજલીલા ચંદ્રાવલીજીના ભાવના અને છેલ્લા

૧૦ દિવસ નિભૃત નિકુંજલીલા સ્વામિનીજીના ભાવના હોય છે.

આ ૪૦ દિવસની નિકુંજલીલા પછી શ્રી વલ્લભાધીશજીનું પ્રાગટ્ય  છે. નિકુંજલીલાના સુંદર પદ આ દિવસોમાં ગવાય છે.

“नेक कुंज कृपा पर आईये…”(सूरदासजी)

“चलोकिन देखन कुंजकुटि…”(परमानंददासजी)

ઇતિહાસ : 

જ્યારે શ્રીનાથજી વ્રજ થી મેવાડ પધાર્યા ત્યારે મહા વદ સાતમ તિથી પર સર્વ પ્રથમ જે સ્થાન આપ પાટ બીરાજ્યા હતા એ વર્તમાન સમય માં ખર્ચ ભંડાર તરીકે ઓળખાય છે.  જે શ્રીનાથજી ની ચરણ ચોંકી તરીકે પણ જણાય છે.

અને, શ્રી ગોવર્ધનનાથજી વર્તમાન સમય માં જ્યાં પાટ બિરાજે છે એ સ્થાન પર આજની તિથી એ પાટ બિરાજ્યા હતા. આ કારણ થી આ ઉત્સવ દ્વિતીય પાટ ઉત્સવ કહેવાય છે.

શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા – ઉત્સવ ભાવના :

આ ઉત્સવ સાથે એક મહત્વ નો ભાવ જોડાયેલ છે. વસંત પંચમી થી ડોલોત્સવ સુધી ના હોરી ખેલ ના ૪૦ દિવસ માં નંદ કુંવર આપના ભક્તો સાથે સાખ્ય ભાવ થી હોરી ખેલે છે. જેથી ભક્તો વગર સંકોચે સખા ભાવ થી હોરી ખેલ નો આનંદ લઈ શકે. જેથી ભક્ત પણ અધિકાર થી સખા ભાવ થી ફગવા મંગાવે, ઓઢણી ઓઢાડી ને સખી બનાવી નચાવે.

હવે આ ૪૦ દિવસ હોરી ખેલ પશ્ચાત ફરી વૈષ્ણવો માં દાસ્ય ભાવ સ્થાપિત થવો આવશ્યક છે. આ કારણ થી નંદરાઈજી પોતાના લાલન ને સ્નાન આદિ પશ્ચાત ફરીથી પાટ સિંહાશન પર બિરાજમાન કરી પૂર્વરત રીતે વ્રજરાજ કુંવર ના રૂપે ફરીથી સ્થાપિત કરે છે.

જેથી ફરીથી દાસ અને પ્રભુ ના સંબંધ ની સ્થાપના થાય. ભક્તો ના હૃદય માં પણ દાસ્ય ભાવ સ્થાપિત થાય છે. આ ભાવ થી આ ઉત્સવ મનાવાય છે.

द्वितीया पाटोत्सव श्रीनाथजी नाथद्वारा भाव भावना

આ સંદર્ભ માં પરમાનંદ દાસજી એ પદ ગાયું છે..

लाल नेक देखिये भवन हमारो |
द्वितीया पाट सिंहासन बैठे, अविचल राज तुम्हारो || 1 ||

શીતકાળની સેવા પૂર્ણ થઈ ચૂકી છે. આથી, આજથી સેવાક્રમમાં ઘણો ફેરફાર આવશે.

  • પ્રભુની સમક્ષ મૂકવામાં આવતી અંગીઠી આજથી નહીં મૂકવામાં આવે.
  • શેરડીનો રસ, રતાળુની ચટણી, ઘી ભરેલા ખજૂર, ફળોમાં શેરડી, સૂરણ, અરબી અને રતાળુની શાક (સખડી અને અનસખડી), બધા પ્રકારના સીરા (ઘઉં, મગ-દાળ, ચણા-દાળ, બદામ, શક્કરિયા વગેરે) શીતકાળની સામગ્રીઓ આજથી નહીં   આરોગવાઈ.
  • સિંહાસન  પર પંખો મૂકવામાં આવે છે.
  • આજથી અક્ષય તૃતીયા સુધી ચાંદીનું કુંજા મૂકવામાં આવે છે. (ત્યારબાદ માટીનું કુંજા શરૂ થશે.)
  • હોળી રમવાના ચાલીસ દિવસ સુધી ઝરીના વસ્ત્ર, સાજ, હીરા, પન્ના, માણેક, મોતી અને જડાવ સોનાના આભૂષણો વગેરે નહીં ધરાણા. જે આજથી ફરી શરૂ થશે.
  • આજથી રંગીન સાજ (ગાદી-તકિયો) શરૂ થશે જે રામનવમી સુધી ચાલશે.
  • આજથી ગોપાષ્ટમી સુધી રાજભોગ ધરાય ત્યારે છાકના પદ ગવાય છે.
  • આજથી શ્રીજીમાં ફૂલ-મંડળીના મનોરથ શરૂ થાય છે. જે દિવસે ફૂલ-મંડળીનો મનોરથ હોય તે દિવસે ફૂલ-મંડળીના કીર્તન ગવાય છે.

Source : Shrinathji Nitya Darshan Facebook Page

શ્રીનાથજી દર્શન – દ્વિતીયા પાટોત્સવ  

श्रीनाथजी द्वितीय पाट उत्सव

सभी द्वार में डेली मंढे,बंदरवाल बंधे।चारो समय थाली की आरती आवे।गेंद चौगान,दिवला सोना के।तकिया लाल काम के।सभी जगह मखमल को साज चढ़े।अभ्यंग होवे। आज विशेष रूप से प्रभु को दोहरा अभ्यंग कराया जाता है |

राजभोग में फूल मंडली होवे।आज से दत्तू,खोल धरावे।

वस्त्र:- चागदार बागा,चोली,सुथन सब सुनहरी जरी के,बिना किनारी के।पटका रूपहरी जरी को।श्रीमस्तक पे हीरा की कुल्हे।ठाड़े वस्त्र मेघ स्याम।पिछवाई फूलकशाही जरी की।

आभरण:- सब उत्सव के।हीरा की प्रधानता।बनमाला को श्रृंगार। हीरा, पन्ना,माणक, मोती के हार, माला धरावे।कुंडल हीरा के, उत्सव के।

कली, कस्तूरी,आदी सब आवे। चोटीजी हीरा की ।श्रीमस्तक पे सुनहरी घेरा आवे।वेणु वेत्र तीनो हीरा के।आरसी चार झाड़ की।पट उत्सव को,गोटी जड़ाऊ।

आज श्रीजी में नियम की चैत्री गुलाब की मंडली आती है | चैत्री गुलाब से निर्मित मंडली (बंगला) में श्रीजी विराजित होते हैं | राजभोग से संध्या-आरती तक प्रभु मंडली में विराजते हैं |

Shrinathji Dwitiya patotsav rajbhog darshan , ful mandali , Pushtimarg sajavat Ful Mandli aarambh , Shreenathji dwitiya patotsav ke pad, Dwitiya patotsav pushtimarg kirtan

बैठे लाल फूलनकी चौखंडी |
चंपक बकुल गुलाब निवारो रायवेलि श्रीखंडी || 1 ||
जाई जुई केवरो कूजो करण कनेर सुरंगी |
‘चतुर्भुजप्रभु’ गिरिधरनजूकी बानिक दिन दिन नवनवरंगी || 2 ||

आरती पीछे आभरण बड़े होवे।छेड़ान के श्रृंगार होवे।हीरा की कूल्हे बड़ी करके,लाल कूल्हे धरावे।

मंगला – प्यारी के महल ते उठ चले 

राजभोग – आज की बानकि बल-बल; -फूलन की चौखन्डी बैठे लाल

आरती – राखी हो अलक बीच 

शयन – कनक कुसुम अति श्रवण सोहे

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | Shrinathji Nitya Darshan facebook page

राग : सारंग

लाल नेक देखिये भवन हमारो |
द्वितीया पाट सिंहासन बैठे, अविचल राज तुम्हारो || 1 ||
सास हमारी खरिक सिधारी पिय वन गयो सवारो |
आसपास घर कोऊं नाहीं यह एकांत है न्यारो || 2 ||
ओट्यो दूध सदा धोरीको लेहु श्याम घन पीजे |
‘परमानंद दास’ को ठाकुर कछु कह्यो हमारो कीजे || 3 ||

राग सारंग
राथे तेरे भवन हों आऊं॥
सादर कहत॑ सांवरो मोहन नेंक दधजो पाऊं ॥१ ॥
मात पिता हू विलगु न माने ओर यह भेद न जाने ॥
जो तू सोंह करे बाबाकी तो मेरे मनमाने ॥२ ॥
सब दिन खेलो मेरे आंगन अपने नेन सिराऊं॥
परमानंद प्रभु विनती कीनी अपने मित्र बुलाऊं ॥३॥

फूल मंडली के पद :

राग सारंग
फूलनकी मंडली मनोहर बैठे जहां रसिक पिय प्यारी ॥
फूलनके बागे ओर भूषन फूलन के फूलनहीकी पाग संवारी ॥ १॥
ढिंग फूली वृषभाननंदिनी तैसीये फूल रही उजियारी॥
फूलनके झूमका झरोखा बहु फूलनकी रची अटारी॥२॥
फूलेसखा चकोर निहारत बीच चंद मिल किरण संवारी॥
चतुर्भुजदास मुदित सहचारी फूले लाल गोवर्धनधारी ॥३॥